શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

ઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે  શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો જ  ઇન્કાર કરે છે.

જવાબ:

હાલાંકે ઈમામ મહદી અ.સ.ની ગયબત વિશિષ્ટ પ્રકારની અને આજના મુસ્લિમોએ સાંભળી ન હોય તેવી લાગે છે પણ તે સંપૂર્ણપણે અગાઉ ન બન્યું હોય  તેવું નથી. ઘણા ઇલાહી પયગંબરો અ.મુ.સ. અલ્લાહના હુકમથી  ઉમ્મતથી એક લાંબા સમયગાળા સુધી છુપા રહ્યા હતા. આ વિષય પર શેખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન ઇબ્ને બાબવ્યહ ર.અ. કે જેઓ શેખ સદુક (વફાત હી.સ. ૩૮૧)ના નામથી જાણીતા છે. તેમના દ્વારા  ઈમામે ઝમાના અ.સ.ની સ્પષ્ટ સુચના વડે એક આખી કિતાબ કે જેનું નામ ‘કમાલુદ્દીન’ છે તેનું સંકલન કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિઓ આ કિતાબ જોઈ શકે છે.

ઇતિહાસમાં જયારે ગયબતના અસંખ્ય દાખલાઓ મૌજુદ હોય ત્યારે ગયબતને બહાના તરીકે રજુ કરીને ઈમામ મહદી અ.સ.ની હયાતીનો ઇન્કાર ન કરી શકાય.

જ્યાં સુધી ગયબતના કારણોનો સવાલ છે તો અહીં એક મહત્વના મુદ્દાને રજુ કરવું જરૂરી છે. મુસ્લિમો કદાચ ઈમાનની જરૂરતો વિષે જાણતા નથી અથવા તેમને માહિતગાર કરવામાં નથી આવ્યા. તેઓ આનો(ન જાણવાનો) ઉપયોગ ઈમાનની જરૂરતને અવગણવા અથવા ઇન્કાર કરવાના બહાના તરીકે ન કરી શકે. તેથી ગયબતના અમુક પાસાઓ વિષે જવાબ ન હોવાના કારણે તેઓ ઈમામ મહદી અ.સ.ની હયાતનો  ઇન્કાર ન કરી શકે.

જે રીતે પયગંબર હ. મુસા અ.સ.ને ૪૦ દિવસના ટૂંકા ગાળા માટે લોકોથી દૂર થયા તો તેમનો ઇન્કાર કરવા બની ઇસરાઇલ પાસે  કોઈ કારણ ન હતું. બની ઇસરાઇલે પણ પોતાની ગુમરાહી માટે પયગમ્બર મુસા અ.સ.ની આશ્ચર્યજનક ગયબતને રજુ કરી.

જ્યાં સુધી ઈમામ મહદી અ.સ.ની ગયબતનાં કારણોનો સવાલ છે, જો કે આ વિષય પર ઘણી હદીસો છે, પણ મુસ્લિમોને આ બાબતે હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ આના કારણો જાણવા આતુરતા ન રાખે કેમ કે તેમાં કોઈ ફાયદો નથી, પણ ગયબતમાં તેમની જવાબદારીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરે.

કુરઆનની આ આયત ભાર પૂર્વક જણાવે છે:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ لاَ تَسْأَلُواْ عَنْ أَشْيَاء إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ

અય ઈમાન લાવનારાઓ એ ચીજો વિષે સવાલ ન કરો કે જે અગર કદાચ તમારી સામે જાહેર કરી દેવામાં આવે તો દુઃખ થાય.

    (સુ. માએદાહ-૫/આ.૧૦૧)

બીજા ઘણા ઈલ્મોની જેમ ગયબતના સાચા કારણોની જાણ માત્ર અલ્લાહને જ છે, જે તેને યોગ્ય સમયે  જાહેર કરશે.

એક મહત્વનો બનાવ ગય્બતના મુદ્દા તરફ આપણું ધ્યાન દોરે છે.

અબ્દુલ્લાહ ઇબ્ને ફઝલ અલ હાશીમી બયાન કરે છે કે મેં ઈમામ સાદિક અ.સ.ને કહેતા સાંભળ્યા કે આ સાહેબે અમ્ર (ઈમામ મહદી અ.સ.) માટે ગયબત જરૂરી છે, ગુમરાહ થયેલા લોકો જ ગયબત વિષે શંકા કરશે.

અબ્દુલ્લ્લાહ ઇબ્ને ફઝલ: મારી જાન આપના પર કુરબાન થાય, ગયબત શા માટે થશે?

ઈમામ સાદિક અ.સ: સાહેબ અલ અમ્રની ગયબત પાછળ એ જ હિકમત છે જે અગાઉના મુર્સલીન માટે મૌજુદ હતી.અને આ હિકમત ઈમામના ઝહુર બાદ જાહેર થશે જેવી રીતે કે જ.ખીઝર અ.સ એ વહાણમાં કાણું પાડ્યું, જવાનને કત્લ કર્યો, દીવાલ બનાવી આ બાબતોના કારણો જનાબે મુસા અ.સ.ને  જ.ખીઝર અ.સ થી  અલગ થવા સમયે જ બતાવવામાં આવ્યા હતા.

ઈમામે વાત ચાલુ રાખતા ફરમાવ્યું: અય ફઝલના પુત્ર! આ અમ્ર અલ્લાહના અમ્રોમાંથી છે; તે અલ્લાહના રહસ્યોમાંથી એક રહસ્ય છે, તે અલ્લાહની ગયબતમાંથી એક ગયબત છે. જયારે આપણે જાણીએ કે અલ્લાહ હકીમ છે તો આપણે ગવાહી આપશું કે તેના બધા કાર્યો હિકમતથી ભરેલા છે. ચાહે તેના કારણો જાહેર ન હોય.

(શેખ તબરસી (ર.અ.)ની અલ અહેતેજાજ, ભાગ ૨, પા. ૩૭૬)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*