અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટ

તેનું સાચુ કારણ

 સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી (નબીઓની) મુસલમાનો માટે જ હોય છે હાલાકે આ મંતવ્યથી સહાબીઓ અને પત્નિીઓ ખુબજ વદ્યારે વાકેફ છે પરંતુ આપણે જાણીએ છીએ કે બાગે ફિદક આલે મોહમંદ (સ.અ.વ.)ને ન આપવાનું એ મુખ્ય કારણ ન હતું. જયારે આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ છીએ તો મુખ્ય કારણ સામે આવે છે.

(૧) અબુબકરએ ઈચ્છા કરેલ – બાગે ફિદક ને પાછુ સોપવાની : જેટલી પણ લાંબી ચર્ચાઓ અને ડીબેટ બાગે ફિદક ઉપર થયા છે એ આપણા માટે આશ્ચર્યજનક નથી કે શરુઆતમાં બાગે ફિદકનો હક્ક જ. ઝહરા (સ.અ.)ની તરફેણમા આવ્યો હતો. જયારે અબુબકરે જ.ઝહરા (સ.અ.) ને બાગે ફિદકનાં દાવા માટે શાક્ષીઓ લાવવા માટે કહયું તો તેમણે (જ.ઝહરા સ.અ.) એ ઉમ્મે અયમન કે જેને રસુલે ખુદા (સ.અ.વ.) એ જન્નતની ખુશ ખબરી આપી હતી અને હઝરત અમીરલ મોઅમેનીન અલી અ.સ.ને હાજર કર્યા. અબુ બકર આ શાક્ષીઓથી સંતુષ્ટ હતો અને તેણે એક પત્ર લખ્યો કે બાગે ફિદક જ. ઝહરા (સ.અ.)ને સોંપવામાં આવે. હ.ઉમર એજ સમયે અંદર દાખલ થયો અને આ પત્ર જોતાજ તેણે તેના બારામાં પુછપરછ કરી અને અબુ બકરે ઉપરોકત બાબતની જાણ કરી. હ.ઉમરે તરતજ તે પત્ર ને છીનવી લીદ્યો અને તે પત્રના કટકા કરી નાખ્યા અને હઝરત અમીરલ મોઅમેનીન અલી અ.સ. અને ઉમ્મે અયમન ને શાક્ષી તરીકે કબુલ ન કર્યા.

– તફસીરે કુમ્મી (ર.અ.) સુરએ રુમ ની આયત નં ૩૮ હેઠળ – અલ એહતેજાઝ ભાગ- ૧, પે નં ૯૦

– બૈત અલ અહઝાન પે. નં ૧૪૪-૧૪૫ જ.ફાતેમા ઝહરા(સ.અ) ના બાગે ફિદક ના હક બારામાં બીજી દલીલો માટે કુરઆનની બીજી આય્તોનો અભ્યાસ કરવો.

– સવાહિદ અલ તનઝીલ સુર એ રુમ ની આયત નં ૩૮ હેઠળ

– શરહ નહઝુલ બલાગાહ ભા.૧૬ પે. નં ૨૨૦

એવુ નથી કે આ હ.ઉમરનું ફકત પહેલુ કાર્ય અબુ બકરની સત્તામાં જ જોવા મળે છે પરંતુ હ.ઉમરનું આ પ્રકારના ખરાબ કાર્યો હઝરત રસુલે ખુદા (સ.અ.વ)ની હાજરીમાં પણ જોવા મળે છે. જેમ કે

(૧) સુલેહ હુદેબીયાહ હોય, રસુલે ખુદા (સ.અ.વ.) એક મુનાફીક ની જાહેરમાં નમાઝે જનાઝા પઢાવતા હોય, બદ્ર ના કૈદીઓની વાત હોય અને પછી ઘણી બદ્યી જગ્યાએ આપણે જોઇએ છીએ કે હ.ઉમરે રસુલે ખુદા (સ.અ.વ.)નો એવી રીતે સામનો કરતો હતો કે જાણે તે પોતે (હ.ઉમર) નબી છે અને રસુલે ખુદા (સ.અ.વ.) મઆઝ અલ્લાહ સહાબી છે. આ બાબતની એક દલીલ એહલે સુન્નતની કિતાબોમાથી પણ મળે છે કે જે હ.ઉમરના આ વર્તાવને સાચી ગણે છે કે રસુલે ખુદા (સ.અ.વ) એ કહયું કે “અગર મારા પછી કોઇ નબી હોત તો તે નબી (મઆઝ અલ્લાહ) હ.ઉમર હોત.” અગર હ.ઉમર આવા કડક પગલાઓ નબુવ્વત ની સામે લઇ શકે તો પછી આ આશ્ચર્યજનક નથી કે તે આ પગલાઓ ખીલાફતની સામે પણ કેમ ન લે. આવા ઘણા બદ્યા વાકેઆઓ જે અહલે સુન્નતની કિતાબોમાં મૌજુદ છે જે બતાવે છે કે હ.ઉમરે અબુ બકરનાં ઘણા બદ્યા નિર્ણયોનો ખરાબ રીતે વિરોધ કર્યા.

આ વાકેઆ ઉપર પણ વિચારો એક વખત એક સમુહ ઇસ્લામ તરફ માહીલ હતું (વલ મોઅલ્લફતે કોલુબોહુમ વફી. . . સુર એ તૌબા આયત ૬૦ ની હેઠળ) અને તેઓ હ.ઉમર પાસે આવ્યા અને એક કાગળ દેખાડયો કે જેમા અબુ બકરે હુકમ આપ્યો હતો કે તેઓને સદકામાથી હક મળવો જોઇએ. ઉમરે તેનો ઇન્કાર કર્યો. અને તે કાગળના કટકા કરી નાખ્યા અને તેના ઉપર થુંકયો અને તેઓના મોઢા તરફ કાગળના કટકાઓ ફેકયા. તેઓ (સમુહ) અબુ બકર પાસે ગયા અને કહયું કે તમારામાથી ખલીફા કોણ છે તે (હ.ઉમર) કે તું? અબુ બકરે કહયું કે તે છે અગર તે ચાહે તો . . (ફઝાઇલ અલ સહાબા વો.૧ પેઇજ નં ૨૯૨ અહમદ ઇબ્ને હમ્બલ તફસીર અલ મનાર – વો. ૧૦ પેઇજ નં ૪૯૬, રશીદ રેઝા – આઇડીયોલોજીકલ ફાઉન્ડર ઓફ દ્ય મુસ્લિમ કન્ઝુલ ઉમ્માલ વો. ૩ પેઇજ નં ૯૧૪ હ.૯ – ૧૫૧, ભા. ૧૨ પેઇજ નં ૫૪૬ હ. ૩૫ – ૭૩૮, અલ ઇખતિફા બીમા તદનન્નહુ મીન મગાઝી રસુલ અલ્લાહ વા અલ ખોલફા ભા.૩ પે નં ૯૦.

આવા ઘણા બદ્યા પ્રસંગો મળે છે અને મુસ્લમાનો આ પ્રસંગોને લખે છે. જેમકે અહમદ ઇન્ને હમ્બલે ફઝાએલ અલ સહાબા માં લખ્યું છે કે અલ ફારુક કિતાબ જે સિબ્લી નોઅમાની એ ઘણા બદ્યા આવા (ગુણોને) લખેલ છે કે જેમાં એક એ છે કે જ.ઝહરા (સ.અ.)ના ઘર ને સળગાવી દેવુ.

તેથી મુસ્લમાનોએ આ આશ્ચર્ય ન પામવું જોઇએ કે ઉમરે અબુ બકરના બાગે ફિદકના હુકમ ને ફેરવી નાખ્યો. હવે મુસ્લમાનો શા માટે એ કબુલ નથી કરતા કે બાગે ફિદક જ.ઝહરા (સ.અ.) ની મિલ્કત હતી!!!!!!!!!!!!!!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*