પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 2 મિનિટ

એક ચર્ચા
વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં એવો ફેરફાર કરે છે કે જાણે પ્રકાશિત દિવસને ઘોર અંધારી રાત્રી અને ઘોર અંધારી રાત્રીને પ્રકાશિત દિવસ કહે છે.
ટીકાકારો આ વાત પર કાએમ છે કે પવિત્ર કુરઆનનું અર્થઘટન શાબ્દિક જેમ છે તેમજ થવું જોઈએ.એવા અર્થઘટનની પરવાનગી નથી કે જે શાબ્દિક અર્થ કરતા અલગ હોય.
જવાબ
(૧)એક સામાન્ય પ્રત્યુત્તર
પવિત્ર કુરઆનના અર્થઘટનનો વિષય એટલો સરળ નથી કે જેવો શંકા કરનારાઓ દેખાડે છે.અગર આ વિષય એટલો સરળ હોત કે શાબ્દિક અર્થ લેવો અથવા ભાષાંતર તો પછી અલ્લાહ એ શા માટે પવિત્ર પયગંબર સ.અ.વ. ને મોકલ્યા? કુરઆન અને તેનો શાબ્દિક અર્થ મુસલમાન માટે કાફી હોત.
હકીકતમાં આ અમુક અજ્ઞાની (જાહિલ) અને પુર્વાગ્રહી સહાબીઓનો એવી ઈચ્છા હતી કે પયગંબર સ.અ.વના જલ્દીથી આ ફાની દુન્યા છોડીને ચાલ્યા જાય અને ખિલાફત તેઓના હાથમાં આવી જાય. તેથી તેઓએ પયગંબર સ.અ.વ.ને વસીય્યત લખવાથી પણ અટકાવ્યા અને જાહેર કર્યું કે કુરઆન મુસલમાનો માટે કાફી છે.
શું તેઓ એ પવિત્ર કુરઆનની આ આયત પડી નથી કે જેમાં અલ્લાહ(સુ.વ.ત.) જાહેર કરે છે કે
“અય રસૂલ એજ તે અલ્લાહ છે જેણે તારા પર આ કિતાબ ઉતારી છે જેની કેટલીક આયાતો સાફ છે અને એજ આયાતો કિતાબ નું મૂળ છે જે બીજી બહુઅર્થી છે. હવે જે લોકોના અંત:કારણોમાં અવળાઈ છે તેઓ તેમની બહુઅર્થી આયાતોને અનુસરે છે ફીતનો ફેલાવના હેતુ થી અને તેનો અર્થ પોતાની મૂજબ કરવાના હેતુ થી જો કે તેનો ખરો અર્થ અલ્લાહ અને તેના સિવાય જેઓ જ્ઞાન માં પ્રવીણ છે અન્ય કોઈ જાણતું નથી……સુરે બની ઇસ્રાઇલઃ ૭
સ્પષ્ટપણે આ આયતઅને બીજી ઘણી બધી આયાતો સાબિત કરે છે કે પવિત્ર કુરઆનનો અર્થ સરળ અને શાબ્દિક નથી. તે એવી આયાતોથી ભરપુર છે કે જે બહુઅર્થો ધરાવે છે અને તેને સમજવા માટે એ લોકો પાસેથી ઇલ્મ લેવું જોઈએ કેજે સંપુર્ણપણે જ્ઞાનમાં ડૂબેલા હોય એટલે કે પયગંબર સ.અ.વ. અને તેમની પવિત્ર આલ.
બ આધુનિક સલફીઓના પિતા સાથે એક ચર્ચા
કુરઆનનના અર્થઘટનની બાબતે શિયા મુજ્તહીદ સય્યદ મોહસીન અલ હકીમ ર.અ.અને અબ્દુલ અઝીઝ ઇબ્ને બાઝ કે જે આધુનિક સલફીઓના પિતા કેહવાય છે તેમની વચ્ચે થયેલી એક નાની ચર્ચા આ મુજબ છે.
એક હજ યાત્રા દરમ્યાન સય્યેદ મોહસીન અલ અહ્કીમ ર.અ નો મેળાપ થયો ઇબ્ને બાઝ સાથે.
ઇબ્ને બાઝ તેમના વાસ્તવિક સ્વભાવ પ્રમાણે વાતશરુ કરે છે એ વાંધાથી કે જે મોહસીન અલ હકીમ ર.અ. અને બીજા અન્ય શિયાઓ સામે પણ હતો.
ઇબ્ને બાઝનો મુખ્ય તકરાર-
• શું કામ શિયાઓ પવિત્ર કુરઆનનું જાહેરી અર્થ (શાબ્દિક અર્થ) લેતા નથીઅને તેના પર અમલ કરતા નથી?
• શું કામ તમે કુરઆનનેતેનીસમજુતી અને અર્થઘટન સાથે ભેળવો છો?
• શું કામ તમે દાવો કરો છો કે ઈમામ સાદિક અ.સ અને ઈમામ બાકીર અ.સ એ અર્થઘટનના બારામાં આવું કહ્યું?
• આપણા માટે જરૂરી છે કે પવિત્ર કુરઆનના જાહેરને માનવું જોઈએ અને અર્થઘટનને દુર રાખવું જોઈએ.
સય્યેદમોહસીન અલ હકીમ અ.ર. એ જવાબ આપ્યો
આનો મતલબ એમ નથી કે આપણે જાહેર અર્થનેજ લઈએ અને તેની સમજુતી અને અર્થઘટન છોડી દઈએ.
પવિત્ર કુરઆન કહે છે –
“અને જ કોઈ આ જગત માં આંધળો રહ્યો તે અખેરત માં પણ આંધળો રેહશે અને રાહે રાસ્ત થી ભટકેલો રેહશે.( સુરે બનીઇસ્રેલ ૭૨)
અગર તમે આ આયાતના જાહેર અર્થને સ્વીકારવા માંગતા હો તો અમને કોઈ વાંધો નથી.
ઇબ્ને બાઝ ચુપ થઇ ગયો અને એક શબ્દ પણ બોલી શક્યો નહિ કારણ કે તેઓ ખુદ પણ આંધળા હતા.
* ( મા સામેતો મિમ માં રઅયતો પ-૨૫)
શું આ એક સંયોગ છે કે ઘણા મુફ્તી દા.ત.ઇબ્ને બાઝ અને અઝીઝ આલ અલ શેખ કે જેઓ શારીરિક તો આંધળા છે સાથોસાથ શાબ્દિક અને લાક્ષણિક રીતે પવિત્ર કુરઆનના અર્થઘટનમાં અને એહ્લેબય્તે અત્ત્હાર (અ.મુ.સ.)ની ભૂમિકા, તેની સમજુતી અને તફ્સીરમાં પણ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*